Friday, May 25, 2012

પરિણામ...!! પરિણામ...!!મા-બાપનુ કે વિદ્યાર્થીનુ??

               આજે ૨૪ મે ૨૦૧૨,દરેક વિદ્યાર્થી કે જેઓ સામાન્ય પ્રવાહ મા છે તેમના પરિણામ નો દિવસ,જે દિવસ ની આતુરતા પૂર્વક રાહ જોવાતી તે આજે પુરી થઈ,આજે બધાના ધબકારા વધી ગયા હશે ખરૂ ને? જો જો એટેક ના આવી જાય હો...!! રિઝ્લ્ટ જોયા પછી આવે તો વાંધો નઈ!

                 આ પરિણામ નો દિવસ અનોખો હોય છે નઈ? ૧ વર્ષ ની મહેનત ૩ કલાક મા કાગળ ના ટુકડા(પ્રશ્ન પેપર) માથી જોઈ ને કાગળ ના ટુકડા મા ઉતારવાની(જવાબવહી, જેમા આજુબાજુ ના ટુકડા પણ જોવાઈ જાય...!!) અને તપાસનાર ૩ જ મિનિટ્સ મા ચેક કરે! અને જો ચા ની ટેવ ધરાવનાર ને જો ચા ન મળે તો તેનો
ગુસ્સૉ પેપર પર ઉતારે! હવે વિદ્યાર્થીએ ૧વર્ષ ની તનતોડ મહેનત નુ ત્યા પોસ્ટ મોટર્મ થાય.

                   પરિણામ ના દિવસે બધા ઉત્તેજક હોય,પરિવારજનો(ખાસ કરીને વિદ્યાર્થી)અને કેમ ના હોય..!! આખરે આ તો કેરિયર ની પસંદગી કરવાનો મોકો! બધા કોઈ ને કોઇ ડિગ્રી હાંસલ કરી ને સારુ ભવિષ્ય બનાવશે,કોઇ નોકરિ,ધંધો કે વ્યવસાય કરશે,બધા ને બેસ્ટ ઓફ લક,સારી કરીયર પસંદ કરી આગળ વધો,દેશ ને આગળ લાવો.

                     પરિણામ ના અમુક દિવસો પહેલા બધા ભગવાન પર તુટી પડે છે નઈ!! ભગવાન પાસ કરાવી દેજો,કોઇ રેન્કર વિદ્યાર્થી હોય તો તે ટકા ની માંગણી કરે,ત્યારે તો ભગવાન નુ સર્વર પણ બિઝી થઈ જતુ હશે.! ને ભગવાન ને કોઇ ને કોઇ ગિફ્ટ આપી ખુશ કરે,કોઇ નારિયેળ ચડાવે,કોઇ પ્રસાદ,કોઇ દુધ તો કોઇ કઈક દાન કરે,કોઇ દિવસ ગાયને રોટલી ના આપી હોય ને ત્યારે ગાયને ઘાસ ખવડાવે,ઓહોહોહોહો ભાઈ દાનવીર.!! ..!   આપણુ રિઝલ્ટ જોયા પછી,આપણા મિત્રો તથા પરીક્ષા મા સાથે બેઠેલા પડોશીઓ નુ રિઝલ્ટ જોઈએ. એમ માનીને કે સાલુ એણે કેવુ લખ્યુ છે ? આને તો આ દાખલો કે પ્રશ્ન સાચો લખ્યો હતો,મારે બાકી હતો કે પછી,એણે તો બધા પેપર મા સાચા જવાબો લખ્યા હતા એનુ રિઝલ્ટ કેવુ આવ્યુ ?            

                      કોઇ ના પાસીંગ માર્ક,તો કોઇ મધ્યમ,કોઇ ૭૦ થિ ૮૦% વાળા, આ બધા જ્યારે ટિ.વી પર રેન્કરો ના ઈન્ટર્વ્યૂ જોવે ત્યારે તેમના મોઢા જોવા જેવા હોય છે,બિચારા બેઠા હોય એક ખુણો પકડિને.

                      હવે તો કોલેજ મા ઍડમીશન ની તૈયારી કરવાની,કોઇ કઈ ફેકલ્ટી મા જવુ તે નક્કી કરવાનુ તો થઈ જાઓ તૈયાર જીવન ને સફળ કરવા અને સારી કાર્કીદી બનાવવા

                    આખા ગુજરાત નુ પરિણામ લગભગ ૬૮.૪૪% છે,એટલે કે ૩૧.૫૬% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે,તેમા નાસીપાસ ના થશો ભાઇ...ગાંધીજી લંડન મા લેટીન ની પરીક્ષા મા નાપાસ થયા હતા,પ્રખ્યાત કાર્ટુનિસ્ટ આર.કે લક્શ્મણ પણ એકવાર નાપાસ થયા હતા,રાજ કપૂર પણ મેટ્રિક ની  લેટીન ની પરીક્ષા મા નાપાસ થયા હતા.અને બીજા ઘણા ઉદાહરણૉ છે કે જે નાપાસ થયા બાદ પણ સફળ છે,  તો ચિંતા છોડો અને સુખ થી જીવો,

                  So very very best of luck to you & all the best

                                                                                                            - Ankur Patel